Thursday, July 10, 2014

બજેટ એક નજર


બજેટ 


ઇનકમ ટેક્સમાં રાહતની લિમિટને બે લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી

હોમ લોન વ્યાજ પર ટેક્સમાં રાહત 2 લાખ રૂપિયા

સીનિયર સિટીઝન માટે 3 લાખની આવક સુધી કોઇ ટેક્સ નહીં

ટીડીએસની સાથે-સાથે એજ્યુકેશન સેસ ત્રણ ટકા કપાશે જ. જો, કોઇનો પગાર ચાર લાખ હોય તો અઢી લાખ પર છૂટ અને બાકીના દોઢ લાખ પર ટીડીએસ કપાત.

ડાયરેક્ટ ટેક્સના સરચાર્જમાં કોઇ વધારો નહીં

50 હજાર રૂપિયા વધી ઇનકમ ટેક્સની લિમિટ

ઇપીએફ કાપ માટે ન્યૂનતમ વેતન પંદર હજાર રૂપિયા
આનો અર્થ થાય છે કે 15000 રૂપિયા સુધી પગાર મેળવતાં લોકોનું પીપીએફ કાપવું નોકરીદાતાઓ માટે જરૂરી થશે. પહેલા આની લિમિટ 6500 રૂપિયા હતી.

PPFની લિમિટ વર્ષિક 1 લાખથી વધારીને 1.5 લાખ

હોમ લોનના વ્યાજ પર ટેક્સથી છૂટની લિમિટ વધારીને બે લાખ કરવામાં આવી

3% એજ્યુકેશન સેસ સતત રહેશે

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સીમાં છૂટની સીમાં 1.5 લાખ કરવામાં આવી


નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. નાણામંત્રી અરૂણ જેટલી પાસેથી ઇનકમટેક્સમાં આવકની મુક્તિ મર્યાદામાં આશા રાખી હતી જે તેમણે પૂરી કરી છે. ઇનકમ ટેક્સમાં આવકની મુક્તિ મર્યાદા રૂપિયા 50000 વધારીને 2 લાખની જગ્યાએ 2.50 લાખ રૂપિયા કરાઇ છે. બજેટમાં નાણાપ્રધાને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન નાણાખાધને 4.1 ટકા લાવવાની મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાતમાં તૈયાર થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાતના રૂર્બન મોડલને દેશભરમાં લાગુ કરવાની જાહેરાત પણ કરી છે.

મોદી સરકારે પોતાના પહેલા બજેટમં મદરેસાઓના આધુનિકરણ માટે રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. નવી પાંચ IIT -પાંચ IIM શરૂ કરવાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે. મોદીનું મોડેલ ગુજરાત આ બજેટમાં જોવા મળ્યું હતું.
 
નાણાપ્રધાને રજૂ કરેલા બજેટની તમામ અપડેટ

અપ્રત્યક્ષ કર (કસ્ટમ ડ્યુટી)

 
* ફેટી એસિડેટ, ફૂડ, પામ્સ પર કસ્ટમ ડ્યુટી હટાવવામાં આવી
* મિથાઈલ આલ્કોહોલ પર આયાત જકાતને ઘટાડાની 2.5 ટકા કરવામાં આવી
* ક્રૂડ તેલ પરની આયાત જકાત પાંચ ટકા કરવામાં આવી
* ટીઆરટીવી ટ્યુબની આયાત જકાતમુક્ત
* એલસીડી-એલઈડી (19 ઈંચથી ઓછા) કરમુક્ત
* સ્ટેનલેસ સ્ટિલ પાઈપ્સ, (ભારતના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા) કસ્ટમ ડ્યુટીના દરને પાંચ ટકાથી વધારી 7.5 ટકા કરવામાં આવ્યો
* પવન ઊર્જાના ઉપયોગ માટે કર ટકાવારીને દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી. વીજ ઉત્પાદનના અન્ય સાધનો પરની ટકાવારીમાં ઘટાડો કરવામાં આવ્યો. જેથી સસ્તી થશે.
* ગ્લિસરીન પરની આયાત જકાત ઘટાડવામાં આવતા સાબુ અને સૌંદર્ય પ્રસાધનની ચીજો સસ્તી થશે
* તૂટવા માટે આવેલા જહાજો ઉપર બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા હતી જે 2.5 ટકા થશે
* હાલમાં સેમી ડાયમંડ અને રો ડાયમંડ પર કોઈ કર નથી. તેવી જ રીતે અન્ય રત્નો પર 2.5 ટકા કર હતો. જેને નાબુદ કરવામાં આવ્યો
 
અપ્રત્યક્ષ કર (એકસાઈઝ ડ્યુટી)
 
* સોલાર ફોલોવેટિક સેલ્સને એકસાઈઝ ડ્યુટીમાંથી મુક્તિ
* સિગારેટ 11 ટકાથી વધારીને 72.
* તમાકુ, પાનમસાલા,ચ્યુઈંગ તમાકુ અને ગુટખા પર એકસાઈઝ ડ્યુટી વધતા મોંઘા બનશે
* એરેટેડ બ્રેવરેજીસ પર પાંચ ટકાનો કર
* લિગ્નાઈટની આયાત પર ક્લિન એનર્જી સેસ લાદવામાં આવ્યો.

અપ્રત્યક્ષ કર (સેવા કર)
 
* એરકન્ડિશન મેઈનટેન્સ કોન્ટ્રાક્ટ્સ પર સેવાકર ફરી લાગૂ
* ઈન્ડિયન ટુર ઓપરેટર્સ ફોરેનર્સને જે સેવાઓ આપશે તેની ઉપર સેવા કર નહીં લાગે
* કોટનના સંગ્રહ, પરિવહન વગેરે પર સેવા કર સમાપ્ત
* તમામ પચાસ હજાર નીચેના જીવન વિમાઓને સેવાકરમાંથી મુક્તિ
* રેડીઓ ટેક્સીઝ પર સેવાકર
* ઓનલાઈન એડવર્ટાઈઝમેન્ટ પર સેવાકર
* 13 નવા એરપોર્ટ્સ પર ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે કસ્ટમ્સ 24*7 સેવા આપશે.

પ્રત્યક્ષ કર
 
* કરના દરમાં કોઈ ફેરફાર નહીં
* નાના અને સિમાંત કરદાતાઓને માટે કર છૂટને રૂ. બે લાખથી અઢી લાખ સુધી વિસ્તારવામાં આવી. જેમની ઉંમર સાંઈઠથી નીચે હોય
* કોર્પોરેટ અને વ્યક્તિગત કરને માટે કોઈ ફેરફાર નહીં
* એજ્યુકેશન અને બીજા સેસ યથાવત રહેશે
* સ્થાનિક રોકાણને લાંબા ગાળા માટે વિસ્તારવા માટે 80-સી હેઠળ છૂટને રૂ. એક લાખથી દોઢ લાખ કરવામાં આવી
* મધ્યમ અને નાના ઘરના લોકોના લોનભારણને માટે વ્યાજ પર છૂટની મર્યાદા રૂ. 1.5 લાખથી રૂ. 2 લાખ કરવામાં આવી.
* સિનિયર સિટિઝન્સને માટે રૂ. 2.5 લાખથી છૂટ વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી.
* ભારતીય કંપનીઓને વિદેશી એકમમાંથી આવતી આવકની ઉપર માત્ર પંદર ટકાનો કર દર.
* લાંબાગાળાના મ્યુચ્યુઅલ ફંડના લાભના દરને (36 મહિનાઓ) 20 ટકા કરવામાં આવ્યો.
* છ વધુ આયકર સેવા કેન્દ્ર ઊભા કરાશે. 













No comments:

Post a Comment