Tuesday, May 29, 2012

TET 2 પરીક્ષાફોર્મ તા. ૩૦/૦૫/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકથી ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૮/૦૬/૨૦૧૨ બપોરના ૩-૦૦ કલાક છે. ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લીક કરવી.કસોટી તા. ૨૪/૦૬/૨૦૧૨ ના રોજ ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાક દરમ્યાન લેવાશે.Best of LUCK


Apply for TET 2 Exam - click here

TET 2 કસોટી અંતર્ગત જરૂરી માહિતી  

પરિવર્તનનો પયંગબર એ જ આચાર્ય નહિ તો લાચાર્ય ( નિલેષ જોષી )

Wednesday, May 23, 2012

 CBSE CLASS  10 RESULT WILL BE DECLARED TODAY.CLICK ON THE FOLLOWING LINK


 ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ નીચેની વેબસાઈટ પર ક્લીક કરવાથી જોઈ શકાશે. 
www.gseb.org 
www.gipl.net 
www.indiaresult.com

TET SOCIAL SCIENCE RESULT

આજના દુ:ખદ સમાચાર
આજ રાત્રે ૧૨ કલાકથી પેટ્રોલમાં  સાડા સાત રૂપિયાનો કમરતોડ વધારો

Friday, May 18, 2012


ઘણા શિક્ષક મિત્રો કહે છે કે શાળામાં આચાર્ય બહેનોને પ્રસુતિની રજાઓ મંજુર કરે છે પરંતુ પુરૂષ કર્મચારીના કિસ્સામાં પિતૃત્વની રજા મંજૂર કરતા નથી અને પરિપત્ર માગે છે.પુરૂષ કર્મચારીને બે કરતાં ઓછા બાળકો હોય તેને પત્નિની દેખરેખ માટે પિતૃત્વની ૧૫ રજાઓ મળે છે તે અંતર્ગત પરિપત્ર અહિ સામેલ છે. જ્યારે મહિલા કર્મચારીને પ્રસુતિની ૧૩૫ દિવસ રજા મળે છે. 

પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર

 સરદાર સરોવર વિશે જાણો  
છઠ્ઠા પગાર પંચનો ચોથો હપ્તો (૨૦ %) રોકડમાં ચૂકવવા બાબતનો પરિપત્ર 
કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભ્રષ્ટાચાર નામની ઉધઈએ દેશને તો ખોખલો કર્યો છે. આજે શિક્ષણના ક્ષેત્રને પણ ભ્રષ્ટાચાર આંબી ગયો છે.જાણવા મળ્યું કે સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ માં ૩૫૦૦ થી ૪૫૦૦ નો ભાવ ચાલે છે. સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે કર્મચારીઓ દ્વારાજ કર્મચારીઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે.સરકારી લાભો મેળવવા માટે શિક્ષકો કે અન્ય કર્મચારીઓ કમ્પ્યૂટર ન આવડતું હોવા છતાં લેભાગું સી.સી.સી પરીક્ષા પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરતા અચકાતા નથી. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની વાતો કરતા કે શાળામાં આદર્શ નિતીની વાતો કરનારા શિક્ષકોજ સી.સી.સી પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરી મૂછોમાં હસતા હોય છે. આવા દલાલોનો ધંધો ધમધોકાર ચલાવવામાં શું આપણે જવાબદાર નથી ? આવા દલાલોના કારણે મુખ્ય નુક્શાન તો એવા લોકોને થાય છે કે જેઓ કમ્પ્યૂટર સારી રીતે જાણે છે અને તૈયારી કરીને પરીક્ષા આપવા જાય છે પરંતુ આર્થિક ૩૫૦૦ થી ૪૫૦૦ રૂપિયાનો વ્યવહાર ન થયો હોયતો નાપાસ કરવામાં આવે છે. શિક્ષિત સમાજ દ્વારા જ ચલાવાતી આ બદીને મિત્રો આપણે જડમૂળથી ઉખેડવાની જરૂર છે. આજથી જ સી.સી.સી ની પરીક્ષા માટે આયોજનપૂર્વક તૈયારી કરી કોઈ સોદા વિના પરીક્ષા આપવાની તૈયારી કરીએ.
વધુમાં જણાવતાં આનંદ થાય છે કે સરકારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવા કેન્દ્રોને પણ માન્યતા આપેલી છે તેના દ્વારા પાસ કરેલી પરીક્ષા પણ માન્ય છે જ. આવા કેન્દ્રો દ્વારા સોદા લાંચ થતી નથી તેવું મારુ માનવું છે. આ સાથે માન્ય કેદ્રોની યાદી દર્શાવતો પરિપત્ર સામેલ છે.


 આ બ્લોગ વિશે આપના હકારાત્મક/નકારાત્મક સૂચનો આવકાર્ય છે. 

આપનો અભિપ્રાય

આપના અભિપ્રાય માટે અહિ ક્લીક કરો.

ગણિતની સુંદરતા 


1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321



1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111



Wednesday, May 16, 2012

પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા બદલ શ્રી ઈલિયાસભાઈ( પ્રમુખશ્રી/બ.કાં.મા.શિ.સંઘ) નો આભાર.

ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.  

વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર  

શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર  

હમણાં રજાની મોસમમાં એક શિક્ષક મિત્રને મળવાનું થયું. શિક્ષક મિત્ર માધ્યમિક શાળામાં નોકરી કરે છે. મે કહ્યું - મજામાં છે ને . જવાબ મળ્યો - અરે- યાર  માનસિક ઠાકી ગયો છું. મે કહ્યું કેમ. તો કહે છે કે શાળામાંથી ગણિત વિજ્ઞાનનો વર્કલોડ થતો નથી તેથી ફાજલ થાઉ છું. મે કહ્યું કે એમાં વાંધો છું છે. તો કહે કે હું પોતે સમજુ છુ કે મારા વિષયનો વર્કલોડ નથી તેથી મને જ ફાજલ કરવો જોઈએ. અને હુ જ ફાજલ થાઉ પરંતુ અધિકારી એમ કહે છે કે તમારા ત્યાં રેશિયાના નિયમ મુજબ શિક્ષક સંખ્યા સરખી છે. તેથી તમે ફાજલ ન જ થઈ શકો. મને ખબર છે કે ભાષાના શિક્ષકની ઘટ છે અને ગણિતના શિક્ષકની વધ છે તો ગણિતનો શિક્ષક ફાજલ થાય અને ભાષાના ફાજલ શિક્ષકનો સમાવેશ થાય તો  વિદ્યાર્થીઓને વિષયનો શિક્ષક મળી રહે. અને શિક્ષક પોતાના વિષયમાં વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપે શકે. પરંતુ હાસ્યાસ્પદ વાત એ છે કે અધિકારી કહે છે કે તમે ગણિત - વિજ્ઞાનના શિક્ષકો ભાષા ભણાવી શકો. પ્રશ્ન એ છે કે અહી તો ગણિતનો શિક્ષક ભાષા ભણાવી શકે ( ભાષાના શિક્ષક જેવું તો નહિ જ )  પરંતુ કોઈ જગ્યાએ ભાષાનો શિક્ષક આ રીતે ગણિત ભણાવી શક્શે ? વ્યાયામનો શિક્ષક ત્રિકોણમિતીના દાખલા ગણાવી શક્શે ? સમાજનો શિક્ષક વિદ્યાર્થીઓને યુક્લિડની ભૂમિતી અને ભાગવિધિના દાખલા ગણાવી શક્શે  ?શું ભાષા શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય ન્યાય આપી શક્શે? અને જો બધાજ શિક્ષકો બધાજ વિષયો ભણાવી શક્તા હોય તો જાહેરાતમાં  ચોક્કસ વિષયના શિક્ષકનો આગ્રહ કેમ રાખવામાં આવે છે. એકબાજુ ગુણવત્તાયુક્ત વિષય શિક્ષણની જ્યારે વાતો થતી હોય ત્યારે ભાષાનો શિક્ષક ગણિત કે ગણિતનો શિક્ષક ભાષા ભણાવે તો વિદ્યાર્થીમાં કેટલી ગુણવત્તા આવશે તે તો સમજી શકાય તેમ છે. 
સરળતાથી સમજી શકાય તેમ છે કે જે તે વિષયના શિક્ષકની ઘટ હોય તે વિષયનો જ શિક્ષક આપવો જોઈએ નહિ કે રેશિયા પ્રમાણે ફક્ત માથાની ગણતરી થવી જોઈએ.
  

વાહન લાયસંસ પરીક્ષા ડેમોસ્ટ્રેશન



નીચેના સમીકરણને ગણિતની રીતે ઉકેલો. ( સ્ટેપ બાય સ્ટેપ )

√X + Y = 7
X + √Y = 11


જવાબ -   X = 9 ,  Y = 4  છે. ગાણિતીક સ્ટેપ જરૂરી છે. આપનો જવાબ ઈ-મેઈલમાં આવકાર્ય છે.   Email   :       jitendra.teo@gmail.com

Monday, May 14, 2012

પ્રાથમિક/માધ્યમિક શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો -શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com  લોંચ કરવામાં આવી છે. તેની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો.

Sunday, May 13, 2012

 સંચાલક મંડળ - આચાર્ય ભરતી સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ - પેન્ડીગ 
Special Leave Petition (Civil) 29978 / 2011. The case is Converted to Appeal Civil 4640 / 2012
Special Leave Petition (Civil) 30921 / 2011. The case is Converted to Appeal Civil 4641 / 2012

સંચાલક મંડળ ભરતી કેસ સ્ટેટસ - 29978/2011

ફાજલ રક્ષણ અંતર્ગત - શ્રી ઈલિયાસભાઈ સિન્ધી(બનાસકાંઠા માધ્ય જિલા શિક્ષક સંઘ - પ્રમુખ ) નો સંયુક્ત સચિવને ધારદાર રજૂઆત કરતો પત્ર  (  ફોન્ટ ટાઈટલ )

શું આપ નીચેનો કોયડો ઉકેલી શક્શો ? આપનું નામ તથા જવાબ લખવા નીચેની લિંક પર ક્લીક કરો.

કોયડો -  લીપ વર્ષમાં  53 રવિવાર આવવાની સંભાવના કેટલી ? 


આપનો જવાબ લખવા અહિ ક્લીક કરો

Friday, May 4, 2012

 ગુ.મા શિક્ષક સંઘ તથા બનાસકાંઠા શિક્ષક સંઘ તથા અન્ય જિલ્લા શિક્ષક સંઘની રજૂઆતને અંતે ફાજલ થતા શિક્ષકોને સમાવવા સરકારશ્રીએ સારસ્વત મિત્રો તરફી રેશિયા અંતર્ગત પરિપત્ર કરેલ છે.જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ખુલશે. વધુમાં આ પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા તથા પરિપત્રમાં સમાવિષ્ટ માંગણીઓ માટે  શ્રી ઈલિયાસભાઈ  સિંધી મોબાઈલ - ૯૪૨૮૬૫૪૨૦૧ ( પ્રમુખશ્રી- બનાસકાંઠા જિલા માધ્ય.શિક્ષક સંઘ ) નો ખૂબજ સહકાર મળેલ છે.
ખાસનોંધ - પરિપત્રનું પ્રથમ પેઈઝ ઉલટું સ્કેન થયેલ છે તેથી Tools menu માં જઈ Rotate clockwise option  પર જઈ ક્લીક કરવાથી પેઈઝ સીધું જોઈ શકાશે.ફરી પેઈઝ આ રીતે પ્રોસેસ કરવાથી સીધુ કરી શકાશે. 

ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર 

ઠરાવની મુખ્ય હાઈલાઈટ્સ -  
1.  ધોરણ 9 અને 10 નો એક એક વર્ગ હોય ત્યાં જ  બે નો રેશિયો. બાકીની જગ્યાએ યથાવત સ્થિતિ. એટલેકે 1.5 નો જ રેશિયો. 
2. સમાવેશ ન થતા અને ફાજલ જ રહેતા  કર્મચારીને ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના ધોરણ - 8 માં સમાવેશ કરવામાં આવશે. પ્રાથમિકમાં સીધી ભરતી બંધ રહેશે. 
3. ફાજલ થતા કર્મચારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તરીકેની લાયકાત ધરાવતા હોય અથવા માધ્યમિક શિક્ષક તરીકેનો 7 વર્ષનો અનુભવ હોય તેમનો ઉચ્ચતરમાં ખાલી જગ્યા હોય તો સમાવેશ કરી શકાશે. 
4. ચિત્ર/સંગીત/ઉધોગ વિષય વાળા શિક્ષકોનો સમાવેશ કારકુન કે ગ્રંથપાલમાં કરી શકાશે. 


સર્વ શિક્ષા અભિયાન જાહેરાત ( અરજી કરવા અહિ ક્લીક કરો ) 


Wednesday, May 2, 2012


હું જાણુ છું ત્યાં સુધી ફાજલ કરવા જુદા જુદા જિલ્લાઓમાં આચાર્ય તથા સંચાલક મંડળ દ્વારા વર્કલોડનીજ ગણતરી કરી ફાજલ કરેલ છે તો ઘણી જગ્યાએ અનામત( રોસ્ટર) /સ્ત્રી અનામત /જૂનિયર/સિનીયર અને વર્કલોડ ને ધ્યાનમાં રાખીને ફાજલ કરેલ છે. ઘણી જગ્યાએ વહાલા દવલાની નિતી મંડળ તથા આચાર્ય દ્વારા થતી હોય તેવું સારસ્વત મિત્રો તરફથી જાણવા મળેલ છે. 
શિક્ષક સંઘો  દ્વારા ચોક્કસ રજૂઆત થવી જોઈએ. ખોટી રીતે ફાજલ થતા કર્મચારીની યાદી સંઘો દ્વારા બનાવવી જોઈએ અને જરૂર લાગે ત્યાં કર્મચારી માટે લડત લડવી જોઈએ. કોઈ જગ્યાએ સિનિયરને ફાજલ કરેલ છે અને જૂનિયરને બચાવેલ છે. કોઈ જગ્યાએ વર્કલોડની આંટીઘૂંટી કરી વિષય શિક્ષક ( વર્કલોડ) હોય છતાં પણ વર્કલોડ વિનાનો બની જાય છે. સંગીત/ ચિત્ર શિક્ષક જેવાને મોટી શાળામાં વર્કલોડ નથી તો ફાજલ થઈને નાની શાળામાં વર્કલોડ કેવી રીતે મળશે તે એક ચિંતા અને ચિંતનનો વિષય છે.
કોઈ જગ્યાએ ચોક્કસ પોલીસી જાણવા મળતી નથી. ઘણી શાળાઓએ કમ્પ્યૂટર વિષયને વર્કલોડમાં ગણેલ છે તો ઘણી જગ્યાએ કમ્પ્યૂટરને વર્કલોડમાં ગણેલ નથી. મારા મંતવ્ય મુજબ કમ્પ્યૂટર શિક્ષકની ભરતી સરકાર દ્વારા થતી નથી /કમ્પ્યૂટર શિક્ષક મંડળ દ્વારા ભરતી થાય છે તેથી વર્કલોડમાં ગણતરી કરી શકાય નહી.
સમય જ બતાવશે કે શું થશે.? રેશિયો સુધરે તો અંશત ફાજલ પ્રશ્ન શાંત થાય તેમ છે. 

TAT/TET/HTAT માટે ઉપયોગી બ્લોગ